વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૫ 104 46813 166122 166091 2022-07-20T15:10:24Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|મોત્સાર્ટ||૨૫}}<hr></noinclude> બાકેરિની અને સામાર્તિનીનું સંગીત મોત્સાર્ટે સાંભળ્યું. સોળમી ડિસેમ્બરે પિતાપુત્ર સાલ્ઝબર્ગ પાછા ફર્યા. દરમિયાન નૅનર્લે ઘરમાં સંગીતનાં ટ્યૂશનો આપી કમાણી કરવી શરૂ કરેલી. '''આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડો''' {{gap}}ઘેર પાછા ફર્યા એ જ દિવસે લિયોપોલ્ડનો માલિક સિગિસ્મુન્ડ અવસાન પામ્યો. એને સ્થાને 1772ની ચોવીસમી માર્ચે ચાળીસેક વરસનો આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડો આવ્યો. મોત્સાર્ટના ઓગણીસમી સદીના જીવનકથાકારોએ એને ખૂબ દુષ્ટ, ક્રૂર ખલનાયક ચીતર્યો છે. એણે મોત્સાર્ટ માટે પારાવાર મુશ્કેલીઓ ઊભી કરેલી એ વાત સાચી પણ મોત્સાર્ટના ચુંબકીય સંગીતની માયામાં ફસાયા વિના આધુનિક જર્મન ઇતિહાસકારો સાચી હકીકત શોધી શક્યા છે. હિરોનિમસ એક ઉમદા માણસ હતો. એની પ્રજા એને ધિક્કારતી એ વાત સાચી, પણ એનું કારણ તો એ હતું કે ઉત્સાહપૂર્વક ઝડપી સુધારા એ અમલમાં મૂકતો. સંગીત અને કલાની એને સૂઝ નહોતી એવા લિયોપોલ્ડના અભિપ્રાય પર મદાર બાંધવા જેવો નથી. પોતાનાં સ્વપ્નો સિદ્ધ કરવા આડે જે કોઈ અડચણરૂપ બને એને દુષ્ટાત્મા તરીકે પત્રોમાં ચીતરવાની લિયોપોલ્ડને બૂરી આદત પડી ગયેલી. ચીફ કપેલમઇસ્ટરના પદ પર પોતાને નહિ પણ પહેલાં ફિશિયેતી તથા પછી લોલીની નિમણૂક થતાં લિયોપોલ્ડ નારાજ થઈ ગયેલો. પોતાની ઉંમર તથા લાંબા સમયની નોકરીને ધ્યાનમાં લેતાં એ પદ માટે એ પોતાને જ સૌથી વધુ લાયક માનતો. પણ નવો આર્ચબિશપ હિરોનિમસ શા માટે એને બઢતી આપીને એ પદ પર મૂકે ? દીકરાની કારકિર્દીના ઘડતર માટે થઈને લિયોપોલ્ડ તો સતત વર્ષો સુધી ચાલુ પગારે રજા પર રહેતો, અને છતાં રજાની નવી અરજીઓ મૂકતો જ રહેતો ! સાલ્ઝબર્ગમાં નહોતું એનું દિલ ચોંટતું કે નહોતો એનો પગ ટકતો. {{nop}}<noinclude></noinclude> ak9tz7hbv6v1769rcxhuevgw2lf3wuy પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૬ 104 46814 166123 166092 2022-07-20T15:14:11Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|૨૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> {{gap}}હિરોનિમસે મોત્સાર્ટની કદર કરી. એણે મોત્સાર્ટ પાસે નવો ઈટાલિયન ઑપેરા માંગ્યો. ‘ઇલ સોન્યો દિ સ્કિપિયોન’ (સ્કેિપિયોનું સ્વપ્ન)<sup>*</sup><ref>* લિબ્રેતો : મેતાસ્તાસિયો.</ref> નામનો એ ઑપેરા 1772ના એપ્રિલમાં ભજવાયો. પ્રસન્ન હિરોનિમસે ‘કૉન્ઝર્ટમઇસ્ટર’ મોત્સાર્ટને વર્ષે 150 ગલ્ડનનો પગાર આપવો ચાલુ કર્યો. '''વળી પાછા ઇટાલી''' {{gap}}1772ના ઑક્ટોબરની ચોવીસમીએ પિતાપુત્ર ઇટાલીની ત્રીજી યાત્રાએ નીકળી પડ્યા. ચોથી નવેમ્બરે એ બંને મિલાન પહોંચ્યા. છવ્વીસમી ડિસેમ્બરે મોત્સાર્ટનો નવો ઇટાલિયન ઑપેરા ‘લુચિયો સિલા’ ભજવાયો. તરત જ લિયોપોલ્ડે સાલ્ઝબર્ગ કાગળો લખીને તેની ભવ્ય સફળતાની ડંફાસો મારી. પણ હકીકત સાવ ઊંધી જ હતી. સાલ્ઝબર્ગના દરબારીઓ અને સંગીતકારો આગળ મોત્સાર્ટની સફળતાનાં બગણાં ફૂંકવાની એને આદત હતી. '''પાદરી માર્તિની''' (1706-1784) {{gap}}બોલોન્યામાં ચોસઠ વરસના ખ્યાતનામ પાદરી જિયોવાની બાતીસ્તા માર્તિનીને મોત્સાર્ટ મળ્યો. એ પ્રખર ગણિતજ્ઞ તેમ જ સંગીતજ્ઞ હતો. એ મોત્સાર્ટ પર વારી ગયેલો. એણે મોત્સાર્ટનું પોર્ટ્રેટ ચિતરાવડાવી પોતાની પાસે રાખ્યું. એણે મોત્સાર્ટનો પરિચય જૂના ઇટાલિયન સંગીતકારોની હસ્તપ્રતો(મૅન્યુસ્ક્રિપ્ટ્સ)થી કરાવ્યો. મોત્સાર્ટ પાસે કાઉન્ટરપૉઈન્ટની અનેક કસરતો કરાવી. મોત્સાર્ટના ફ્‌યુગ્સ<sup>+</sup><ref>+ ફ્યુગ : એકથી વધુ કાઉન્ટરપૉઇન્ટ વડે રચાતી સંકુલ કૃતિ</ref>થી એ રાજી થયેલો. મોત્સાર્ટને ‘ગોલ્ડન સ્પર’ મળે માટે એણે જ પોપને ભારપૂર્વક ભલામણ કરેલી. મહાન ઇટાલિયન સંગીતકાર ઑલેન્દો દિ લાસો અને જર્મન સંગીતકાર ગ્લકને ‘ગોલ્ડન સ્પર’ ખિતાબ મળ્યા એ પછી એ ખિતાબ મેળવનાર પહેલો સંગીતકાર મોત્સાર્ટ હતો. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> ix7ibh28h689u7lavxjmv7wvnmffv84 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૭ 104 46815 166124 166093 2022-07-20T15:17:22Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|મોત્સાર્ટ||૨૭}}<hr></noinclude> સમગ્ર જીવન દરમિયાન આ ખિતાબનો દેખાડો મોત્સાર્ટે કરેલો નહિ. પોતાની સહીની ઉપર કે નીચે અથવા નામની આગળ કે પાછળ તેણે એની કદી જાહેરાતો કરેલી નહિ. હા, એક અપવાદ છે જેની વાત આપણે આગળ જોઈશું. ગ્લક અને તેની પત્ની તો આ ખિતાબની શક્ય તેટલી જાહેરાતો કરતાં થાકતાં જ નહોતાં ! ઇટાલિયન યાત્રા દરમિયાન મોત્સાર્ટે બોલોન્યા નજીક મોટી જાગીર ધરાવતા યુવાન કાઉન્ટ પાલાવિચિની સાથે તથા હમઉમ્ર પ્રખર નિપુણ વાયોલિનિસ્ટ થોમસ લીન્લે સાથે દોસ્તી કરેલી. રોમમાં મોત્સાર્ટે સોળમી સદીના ઇટાલિયન સંગીતકાર ગ્રેગારિયો એલેગ્રીની કૃતિ ‘મિસેરેરે’ સાંભળી. વેટિકનના સિસ્ટાઈન ચૅપલની માલિકીની આ કૃતિની નકલ કરવા પર કડક મનાઈ હતી. એ સાંભળતી વખતે કાગળ પર ઉતારી લેવામાં ઘણા સંગીતકારો અત્યાર સુધી નિષ્ફળ ગયેલા. મોત્સાર્ટે માત્ર બે જ શ્રવણમાં કોટની બાંયના કફમાં સંતાડેલા કાગળ પર આ આખી કૃતિ ઉતારી લીધી. ઈટાલીની યાત્રા દરમિયાન જ મોત્સાર્ટે તેનો એક ઉત્તમ મોટેટ ‘એક્સુલ્તાતે જુબિલાતે’ લખ્યો. કાસ્ત્રાતી વેનાન્ઝિયો રોઝિની માટે લખેલા આ મોટેટમાં અંગારાની માફક ઝગારા મારતા સ્વરોની રમઝટ સાંભળવા મળે છે. મોત્સાર્ટના સંગીતનો પ્રસાર થાય, એની નામના વધુ વ્યાપક બને અને ખાસ તો રૉયલ્ટીની આવક ઊભી થઈ શકે તે હેતુથી 1771માં લિયોપોલ્ડ લિપ્ઝિકના પ્રકાશક બ્રીટકૉફનો દાણો ચાંપી જોયેલો. મોત્સાર્ટના સંગીતનું પ્રકાશન કરવાની દરખાસ્ત મૂકતાં લિયોપોલ્ડે તેને કાગળમાં લખેલું : “તમને ઠીક લાગે તેવું કોઈ પણ પ્રકારનું અને ઘાટઘૂટનું સંગીત મોત્સાર્ટે કંપોઝ કર્યું છે. તમારે માત્ર કહેવાનું જ રહેશે કે તમારે શું જોઈએ છે.” બ્રીટકૉફે કોઈ જ જવાબ આપેલો નહિ. તેથી થયું એવું કે મોત્સાર્ટના જીવતે જીવ મોત્સાર્ટનું મોટા ભાગનું વાદ્યસંગીત માત્ર ત્યારે જ વગાડવામાં આવતું કે જ્યારે ખુદ મોત્સાર્ટ તેને વગાડતો હોય કે કન્ડક્ટ કરતો હોય;<noinclude></noinclude> mzs9vempz0krkq8in10mecgrp2ip119 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૮ 104 46816 166125 166094 2022-07-20T15:28:54Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|૨૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> એ સિવાય નહિ જ. 1772માં તત્કાલીન જર્મન સંગીતની ચર્ચા કરતા એક લેખમાં ડૉ. બર્નીએ લખેલું : “ઉત્તમ કરતાં પણ બહેતર હોય એવા સમય કરતાં વહેલા તૈયાર થઈ ગયેલા ફળનું એક ઉદાહરણ એ મોત્સાર્ટ છે.” મોત્સાર્ટ વાયોલિન અને પિયાનો બંને વગાડવામાં નિપુણ હોવા છતાં તેને પોતાના પિયાનોવાદનમાં વધુ મજા પડતી હતી, વળી વિયેનાનિવાસના જીવનના છેલ્લા દસકામાં તેણે કદી વાયોલિન વગાડેલું નહિ. લિયોપોલ્ડને આ હકીકતનો રંજ હતો. સાલ્ઝબર્ગથી એક કાગળમાં લિયોપોલ્ડે મોત્સાર્ટને લખેલું : “ભીંત પર લટકતું તારું વાયોલિન મૂરઝાઈ રહ્યું છે.” વાયોલિન માટેની જે કૃતિઓમાં માધુર્ય અને લાવણ્યનો અભાવ હોય તે મોત્સાર્ટને પસંદ નહોતી. 1777માં વિખ્યાત વાયોલિનિસ્ટ ફ્રાન્ઝલને વાયોલિન માટેની ખૂબ અઘરી કૃતિઓ વગાડતો સાંભળ્યા પછી મોત્સાર્ટે તેને કહેલું : “મુશ્કેલીઓ માટે મને કોઈ જ પ્રેમ નથી.” {{gap}}પિતાપુત્ર 1773ના માર્ચની તેરમીએ સાલ્ઝબર્ગ પાછા ફર્યા. એ પછી એક વાર અઢી મહિનાના પ્રવાસને અને બીજી વાર ત્રણ મહિનાના પ્રવાસને બાદ કરતાં મોત્સાર્ટ 1777 સુધીનાં ચાર વરસ સુધી સાલ્ઝબર્ગમાં જ રહ્યો, અને સર્વ પ્રકારના ઘાટઘૂટમાં એણે વિપુલ માત્રામાં સંગીતસર્જન કર્યું. ત્રણ સુંદર સિમ્ફનીઓ No. 25 (k 183), No. 28 (k 200) તથા No. 29 (k 201) અને પિયાનો કન્ચર્ટો No. 5 (k 175) એમાં શ્રેષ્ઠ છે. {{gap}}1773માં લિયોપોલ્ડને કાને વાત આવી કે વિયેના રાજદરબારનો કપેલમઈસ્ટર ગૅસ્માન માંદગીને બિછાને છે, એટલે એ પદ ઉપર પોતાની નજર ચોંટી. એ દીકરાને લઈને જુલાઈમાં વિયેના પહોંચ્યો અને ત્રીસમી સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહ્યો. પણ ગૅસ્માન તો છેક જાન્યુઆરીમાં અવસાન પામ્યો અને એની જગ્યા જૉસેફ બોનો નામના એક વિયેનીઝ સંગીતકારને મળી. લાગે છે કે દીકરા માટે થઈને<noinclude></noinclude> fdw9sbd6ubusz2gy8r7r6j2xcixmg0a પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૯ 104 46817 166117 165950 2022-07-20T12:30:06Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૨૯}}<hr></noinclude> લિયોપોલ્ડ ફરી એક વાર લાલચનાં ઝાંઝવાંમાં ફસાયેલો. પણ મોત્સાર્ટને તો વિયેનાયાત્રાથી ફાયદો જ થયો. એ શહેર એ વખતે ઇટાલિયન અને જર્મન ગાયકો, વાદકો, ઓર્કેસ્ટ્રા કન્ડક્ટર્સ, કોયર કન્ડક્ટર્સ, કવિઓ, નાટ્યકારો, સંવાદલેખકો અને અભિનેતાઓથી ઊભરાતું હતું. મોત્સાર્ટને ઘણી મોટી માત્રામાં નવું સંગીત સાંભળવા મળ્યું. {{gap}}1774ના શિયાળામાં બેવેરિયાના ઈલેક્ટરે મોત્સાર્ટને એક ઇટાલિયન કૉમિક ઓપેરા લખી આપવાનું કામ આપ્યું. 1775માં યોજાનારા મ્યુનિખ કાર્નિવલમાં આ ઓપેરા ભજવાય એવી એની ખ્વાહિશ હતી. આ માટે બાપદીકરો 1774ના ડિસેમ્બરની છઠ્ઠીએ સાલ્ઝબર્ગ છોડી નીકળી પડ્યા અને બીજે જ દિવસે મ્યુનિખ પહોંચી ગયા. તેરમી જાન્યુઆરીએ મોત્સાર્ટનો ઓપેરા 'લા ફિન્તા જિયાર્દિનિયેરા' ભજવાયો અને શ્રોતાઓને એ ગમ્યો. ખુશ થઈને મોત્સાર્ટે ઘેર મંમીને કાગળ લખ્યો : “ગઈ કાલે એ પહેલી જ વાર ભજવાયો અને એને એટલી જબરજસ્ત ચાહના મળી કે તાળીઓના ગડગડાટનું વર્ણન હું કરી શકું એમ નથી. મંમી, અમે જલદી સાલ્ઝબર્ગ પાછા નહિ જ આવીએ. મંમી, તારે એવી આશા રાખવી પણ નહિ જોઈએ. ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું મારે માટે કેટલું અગત્યનું છે તે તો તું જાણે જ છે ને !” (જાન્યુઆરી 14, 1775). પ્રવાસે નીકળેલો હિરોનિમસ કોલોરાડો જાન્યુઆરીમાં મ્યુનિખમાં આવેલો. તેને કાને મોત્સાર્ટનાં વખાણ પડેલાં. 'ડચ રિવ્યૂ' નામના સામયિકમાં સી.એફ.ડી. શુબાર્ટ નામના વિવેચકે 'લા ફિન્તા જિયાર્દિનિયેરા'નો રિવ્યુ કરેલો : “પ્રતિભાશાળી મોત્સાર્ટનો ઑપેરા બુફા મેં સાંભળ્યો. આટલી નાની ઉંમરે સ્વાભાવિક રીતે જ એનું સંગીત ઉન્નત શિખરે નથી પહોચ્યું. પણ, એક દિવસ સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારોમાં મોત્સાર્ટ અચૂક સ્થાન મેળવશે જ.” આ ઑપેરાનો લિબ્રેતો ગ્વીસેપે પેત્રોસેલિનીએ લખેલો. ઈલેક્ટરે મોન્સાર્ટ પાસે એક મોટેટ માંગ્યો;<noinclude></noinclude> 9xd1iblmiem5rti2q67o48yydoi3jkk 166126 166117 2022-07-20T15:40:02Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|મોત્સાર્ટ||૨૯}}<hr></noinclude> લિયોપોલ્ડ ફરી એક વાર લાલચનાં ઝાંઝવાંમાં ફસાયેલો. પણ મોત્સાર્ટને તો વિયેનાયાત્રાથી ફાયદો જ થયો. એ શહેર એ વખતે ઇટાલિયન અને જર્મન ગાયકો, વાદકો, ઑર્કેસ્ટ્રા કન્ડક્ટર્સ, કોયર કન્ડક્ટર્સ, કવિઓ, નાટ્યકારો, સંવાદલેખકો અને અભિનેતાઓથી ઊભરાતું હતું. મોત્સાર્ટને ઘણી મોટી માત્રામાં નવું સંગીત સાંભળવા મળ્યું. {{gap}}1774ના શિયાળામાં બેવેરિયાના ઈલેક્ટરે મોત્સાર્ટને એક ઇટાલિયન કૉમિક ઓપેરા લખી આપવાનું કામ આપ્યું. 1775માં યોજાનારા મ્યુનિખ કાર્નિવલમાં આ ઑપેરા ભજવાય એવી એની ખ્વાહિશ હતી. આ માટે બાપદીકરો 1774ના ડિસેમ્બરની છઠ્ઠીએ સાલ્ઝબર્ગ છોડી નીકળી પડ્યા અને બીજે જ દિવસે મ્યુનિખ પહોંચી ગયા. તેરમી જાન્યુઆરીએ મોત્સાર્ટનો ઓપેરા ‘લા ફિન્તા જિયાર્દિનિયેરા’ ભજવાયો અને શ્રોતાઓને એ ગમ્યો. ખુશ થઈને મોત્સાર્ટે ઘેર મંમીને કાગળ લખ્યો : “ગઈ કાલે એ પહેલી જ વાર ભજવાયો અને એને એટલી જબરજસ્ત ચાહના મળી કે તાળીઓના ગડગડાટનું વર્ણન હું કરી શકું એમ નથી. મંમી, અમે જલદી સાલ્ઝબર્ગ પાછા નહિ જ આવીએ. મંમી, તારે એવી આશા રાખવી પણ નહિ જોઈએ. ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું મારે માટે કેટલું અગત્યનું છે તે તો તું જાણે જ છે ને !” (જાન્યુઆરી 14, 1775). પ્રવાસે નીકળેલો હિરોનિમસ કોલોરાડો જાન્યુઆરીમાં મ્યુનિખમાં આવેલો. તેને કાને મોત્સાર્ટનાં વખાણ પડેલાં. ‘ડચ રિવ્યૂ’ નામના સામયિકમાં સી.એફ.ડી. શુબાર્ટ નામના વિવેચકે ‘લા ફિન્તા જિયાર્દિનિયેરા’નો રિવ્યુ કરેલો : “પ્રતિભાશાળી મોત્સાર્ટનો ઑપેરા બુફા મેં સાંભળ્યો. આટલી નાની ઉંમરે સ્વાભાવિક રીતે જ એનું સંગીત ઉન્નત શિખરે નથી પહોચ્યું. પણ, એક દિવસ સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારોમાં મોત્સાર્ટ અચૂક સ્થાન મેળવશે જ.” આ ઑપેરાનો લિબ્રેતો ગ્વીસેપે પેત્રોસેલિનીએ લખેલો. ઈલેક્ટરે મોત્સાર્ટ પાસે એક મોટેટ માંગ્યો;<noinclude></noinclude> ln63zfmz4g7c2uvl0jqnzv8g13x5acs પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૦ 104 46818 166118 165951 2022-07-20T12:40:01Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૩૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> પણ મોત્સાર્ટે ઓફર્તોરી 'મિસેરિકોર્દિયાસ દૌમિની' (K 222) લખ્યો. ઈલેક્ટરે મોત્સાર્ટના બે માસ ચર્ચમાં ગવડાવ્યા. પણ નિરાશ થઈને બાપદીકરો માર્ચ મહિનામાં સાલ્ઝબર્ગ પાછા ફર્યા કારણ કે મોત્સાર્ટને ત્યાં કોઈ સારી નોકરીની દરખાસ્ત મળી નહિ. 1775ના એપ્રિલમાં ઑસ્ટ્રિયન આર્ચડ્યૂક મૅક્સિમિલિયન સાલ્ઝબર્ગમાં હતો. એના માનમાં યોજાયેલા જલસામાં મોત્સાર્ટનો કેન્ટાટા 'ઇલ રે પેસ્તોરે'<sup>*</sup><ref>* લિબ્રતો: મેતાસ્તાસિયો. </ref> ભજવાયો. 1775ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ચાર મહિનામાં મોત્સાર્ટે માત્ર ત્રણ જ માસ લખ્યા. એના જેવા ફળદ્રુપ સર્જક માટે આ ખૂબ નાની સંખ્યા કહેવાય. શક્ય છે કે એ સમયે એને મૅન્ટલ-બ્લૉક થયો હોય. નૅનર્લ આ સમયે ડાયરીમાં નોંધે છે : “મારો ભાઈ સાવ પીળો પડી ગયો છે.” એ વખતના એક પોર્ટેટમાં પણ મોન્સ્ટાર્ટ ફિક્કો ને માંદલો દેખાય છે. 1776માં મોત્સાર્ટે પોતાના પ્રખર ચાહક પાદરી માર્તિનીને લખ્યું: “હું એ દેશમાં જીવું છું જ્યાં સંગીતના વિકાસની તક નથી. થિયેટરની હાલત કંગાળ છે. તેથી ચર્ચ, ઓર્કેસ્ટ્રા અને ચૅમ્બર ઇસ્યુમેન્ટ્સ માટે સંગીત લખીને હું મસ્ત રહું છું. પ્રિય સિન્યોર ફાધર માર્તિની ! આપણે એકબીજાથી કેટલા દૂર છીએ !” '''ધ ગ્રાન્ડ ટૂર''' {{gap}}દીકરાને સારી આવક આપતી કોઈ સુરક્ષિત પદવી પર સ્થિર થયેલો જોવાની લિયોપોલ્ડની વ્યાકુળતા વધતી જ ગઈ; કારણ કે મોત્સાર્ટ હવે એકવીસ વરસનો થયો હતો. ચાલુ નોકરીમાં ફરી એક વાર લાંબી રજા માટે લિયોપોલ્ડે આચબિશપને અરજી કરી, પણ તે તરત જ નામંજૂર થઈ; એટલે એણે મોત્સાર્ટની સાથે યાત્રામાં પોતાની પત્નીને મોકલવાનું નક્કી કર્યું. {{gap}}બનેલું એવું કે પિતા લિયોપોલ્ડે લખેલી એ અરજી ઉપર મોત્સર્ટ સહી કરેલી; અને એમાં લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંને માટે<noinclude><hr> {{reflist}}</noinclude> st8r57i3lflp0fjgu234jhfs6h52xu7 166127 166118 2022-07-20T15:43:28Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૩૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> પણ મોત્સાર્ટે ઓફર્તોરી ‘મિસેરિકોર્દિયાસ દૌમિની’ (K 222) લખ્યો. ઈલેક્ટરે મોત્સાર્ટના બે માસ ચર્ચમાં ગવડાવ્યા. પણ નિરાશ થઈને બાપદીકરો માર્ચ મહિનામાં સાલ્ઝબર્ગ પાછા ફર્યા કારણ કે મોત્સાર્ટને ત્યાં કોઈ સારી નોકરીની દરખાસ્ત મળી નહિ. 1775ના એપ્રિલમાં ઑસ્ટ્રિયન આર્ચડ્યૂક મૅક્સિમિલિયન સાલ્ઝબર્ગમાં હતો. એના માનમાં યોજાયેલા જલસામાં મોત્સાર્ટનો કેન્ટાટા ‘ઇલ રે પેસ્તોરે’<sup>*</sup><ref>* લિબ્રતો: મેતાસ્તાસિયો. </ref> ભજવાયો. 1775ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ચાર મહિનામાં મોત્સાર્ટે માત્ર ત્રણ જ માસ લખ્યા. એના જેવા ફળદ્રુપ સર્જક માટે આ ખૂબ નાની સંખ્યા કહેવાય. શક્ય છે કે એ સમયે એને મૅન્ટલ-બ્લૉક થયો હોય. નૅનર્લ આ સમયે ડાયરીમાં નોંધે છે : “મારો ભાઈ સાવ પીળો પડી ગયો છે.” એ વખતના એક પોર્ટ્રેટમાં પણ મોત્સાર્ટ ફિક્કો ને માંદલો દેખાય છે. 1776માં મોત્સાર્ટે પોતાના પ્રખર ચાહક પાદરી માર્તિનીને લખ્યું: “હું એ દેશમાં જીવું છું જ્યાં સંગીતના વિકાસની તક નથી. થિયેટરની હાલત કંગાળ છે. તેથી ચર્ચ, ઑર્કેસ્ટ્રા અને ચૅમ્બર ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે સંગીત લખીને હું મસ્ત રહું છું. પ્રિય સિન્યોર ફાધર માર્તિની ! આપણે એકબીજાથી કેટલા દૂર છીએ !” '''ધ ગ્રાન્ડ ટૂર''' {{gap}}દીકરાને સારી આવક આપતી કોઈ સુરક્ષિત પદવી પર સ્થિર થયેલો જોવાની લિયોપોલ્ડની વ્યાકુળતા વધતી જ ગઈ; કારણ કે મોત્સાર્ટ હવે એકવીસ વરસનો થયો હતો. ચાલુ નોકરીમાં ફરી એક વાર લાંબી રજા માટે લિયોપોલ્ડે આર્ચબિશપને અરજી કરી, પણ તે તરત જ નામંજૂર થઈ; એટલે એણે મોત્સાર્ટની સાથે યાત્રામાં પોતાની પત્નીને મોકલવાનું નક્કી કર્યું. {{gap}}બનેલું એવું કે પિતા લિયોપોલ્ડે લખેલી એ અરજી ઉપર મોત્સર્ટ સહી કરેલી; અને એમાં લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંને માટે<noinclude><hr> {{reflist}}</noinclude> jmyqv1y1zaxp513tllnwzc2smf9lyte પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૧ 104 46819 166134 166080 2022-07-20T15:56:32Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૩૧}} <hr></noinclude> રજાની પરવાનગી માંગવામાં આવેલી. આ અરજી ઉપર નામંજૂરીની મહોર મારતાં આર્યબિશપે પેન્સિલથી નોંધેલું: “પિતા અને પુત્ર બંનેને બીજે નસીબ અજમાવવા માટે મુક્તિ આપું છું.” આ રીતે આર્ચબિશપે લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંનેને નોકરીમાંથી છૂટા કરી દીધા ! લિયોપોલ્ડને આ નોકરી વગર પાલવે તેમ નહોતું કારણ કે ભલે ને નાની પણ સુનિશ્ચિત આવક છોડીને એ આધેડ ઉંમરે બીજે નોકરી શોધવા માટે રાજી નહોતો. તેથી એણે તો આર્ચબિશપ હિરોનિમસ કોલોરાડોને કરગરીને પોતાની નોકરી પાછી મેળવી લીધી; પણ મોત્સાર્ટ માટે કરગર્યો નહિ. મોત્સાર્ટે એ નોકરીમાંથી છૂટા થતી વેળા કોલોરાડોને આભારપત્ર લખ્યો : {{સ-મ|||''1 ઑગસ્ટ, 1777''}} :{{gap}}''યોર ગ્રેસ, મોસ્ટ વર્ધી ઑફ ધ હોલી રોમન એમ્પાયર,'' :{{gap}}{{gap}}''અમારી દુઃખી પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરી હું તમને મુશ્કેલીમાં મૂકવા નથી માંગતો. 14 માર્ચ, 1777 ના રોજ મારા પિતાએ કરેલી નમ્ર અરજીમાં એ વર્ણન છે જ. બહાર જો કોઈ સારી તક મળતી હોય તો તે ઝડપી લેવા માટે રજાની પરવાનગી માંગતી એક અરજી મારા પિતાએ અગાઉ પણ કરેલી. પણ વિયેનાથી હિઝ મેજેસ્ટી ધ એમ્પરર આવવાના હોવાથી એ વખતે ઑર્કેસ્ટ્રા તૈયાર રાખવો પડે એવું હતું. તેથી આપે તે અરજી નામંજૂર કરેલી. મારા પિતાએ ત્યારે સમજદારીથી સંજોગો સંભાળી લઈ છેલ્લે અત્યારની અરજી કરી, જેને આપે ફરીથી નામંજૂર કરી. હવે મારા પિતાએ મને એકલો જ પ્રવાસે મોકલવાનું નક્કી કર્યું છે. તે છતાં પણ આપે મારી સામે વાંધા ઉઠાવ્યા છે ! હે માલિક ! સંતાનો પોતાનો રોટલો જાતે જ રળી ખાતાં શીખે તે માટે માબાપ તેમને ત્યજી દેવા માટે બનતા પ્રયત્નો કરે છે. કુટુંબોનું અને રાજ્યનું હિત આમાં જ રહેલું છે. ઈશ્વર પાસેથી જેટલી શક્તિ કે પ્રતિભા સંતાનને મળેલી હોય તેટલા પ્રમાણમાં સંતાન પ્રગતિ કરીને ભવિષ્યને ઉજ્જ્વળ અને સુરક્ષિત''<noinclude></noinclude> enf2uzjq5m2gioxkwtfph0k5jd8t45z પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૨ 104 46820 166135 166081 2022-07-20T16:02:03Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૩૨||મોત્સાર્ટ અને બીથોવન}} <hr></noinclude> ''બનાવવા મથશે. આથી માબાપ માટે પણ વધુ આરામદાયક સંજોગો ઊભા થશે. આપણે આપણી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એવો ઉપદેશ ગૉસ્પેલ આપે છે. મારો અંતરાત્મા એવું કહે છે કે મારા પિતાએ થાક્યા વિના આખી જિંદગી મને શિક્ષણ આપ્યું તે બદલ હું મારા પિતાનો ઋણી છું. ઈશ્વરના પ્રતાપે અને ઈશ્વરની દયાથી જ મને આ તક સાંપડી છે. તેથી મારા પગ ઉપર ઊભા રહેતાં શીખીને મારે મારી બહેનનો અને મારા પિતાનો ભાર હળવો કરવો જ પડશે. હાર્પિસ્કોર્ડ ઉપર ઘણા કલાકો વિતાવીને મારી બહેને પણ તાલીમ મેળવી હતી. પણ તે આ તાલીમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકી નહોતી.'' {{gap}}''તેથી પાનખરમાં હું અહીંથી પ્રયાણ કરવા ધારું છું, જેથી મારે ઠંડા શિયાળાનો સામનો પ્રવાસ દરમિયાન કરવો પડે નહિ. મારા આ બયાનને આપ નજરઅંદાજ કરશો નહિ એવી મારી આશા છે. આપ મહેરબાને આજ સુધીમાં મારી ઉપર અમીભરી દૃષ્ટિ વડે જે કૃપા વરસાવી છે તે બદલ હું આપનો હૃદયપૂર્વક ઋણી છું. મારા ભવિષ્યનાં પુખ્ત વરસોમાં વધુ સફળતાપૂર્વક હું આપની સેવા કરી શકું તેવી તમન્ના હું સેવું છું.'' {{સ-મ|||''– આપનો અત્યંત નમ્ર સેવક''}} {{સ-મ|||'''''વુલ્ફગૅન્ગ ઍમેડી મોત્સાર્ટ'''''}} {{gap}}અને લિયોપોલ્ડ તો આર્યબિશપની નોકરીમાં ચાલુ રહ્યો. {{gap}}1777ની ત્રેવીસમી સપ્ટેમ્બરે માતાપુત્રે સાલ્ઝબર્ગથી પ્રસ્થાન કર્યું. બીજે દિવસે લિયોપોલ્ડે મોત્સાર્ટને કાગળ લખ્યો: “તમને બંનેને આવજો કહ્યું ત્યારે મારી આંખોમાં આવતાં આંસુને હું માંડ માંડ ખાળી શક્યો. પછી મેં તો ઉપર જઈને આરામ-ખુરશીમાં લંબાવ્યું પણ નૅનર્લ તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એને શાંત પાડતાં મારે નાકે દમ આવ્યો. પછી એની સાથે હું પત્તાં રમ્યો અને અમે મારા રૂમમાં જમ્યાં. ઈશ્વરના આશીર્વાદથી અમે બંને પથારીમાં ઊંઘી ગયાં. પ્રિય વુલ્ફગૅન્ગ, હાથ<noinclude></noinclude> pc7j9zlj3yujukysm93l1x0tnb2ot5m પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૩ 104 46821 166119 166095 2022-07-20T12:43:20Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૩૩}} <hr></noinclude> જોડીને હું તારે પગે પડું છું કે આર્યબિશપ અંગે તું કોઈ મજાકમશ્કરી કાગળમાં મને લખીશ નહિ, કારણ કે તારા કાગળ જો ભૂલેચૂકે ખોટા હાથમાં ચડી જશે તો આપણા માથે આસમાન તૂટી પડશે.” પણ મોત્સાર્ટ તો એકદમ મોજિલા મિજાજમાં હતો. એણે 1777ની 26 સપ્ટેમ્બરે પિતાને લખ્યું : “હું હંમેશની માફક એકદમ ખુશમિજાજ છું. સાલ્ઝબર્ગના કાવતરાખોરોથી મુક્ત થઈ મારું હૃદય તો જાણે પવનવેગે ઊડે છે !” લિયોપોલ્ડે સામો બીજો પત્ર લખ્યો : “તું માત્ર સંગીતમાં જ ગળાડૂબ રહે એ નહિ ચાલે. દુનિયાદારીનું ભાન તને હોવું જોઈએ.” મોત્સાર્ટની આ નવમી યાત્રા દોઢ વર્ષે પૂરી થઈ અને તે ‘ધ ગ્રાન્ડ ટૂર’ નામે જાણીતી બની. મ્યુનિખ, ઑગ્સ્બર્ગ અને મેન્હીમમાં થોડો થોડો સમય ગાળ્યો. ઑગ્સ્બર્ગમાં મોત્સાર્ટ બેઝલ નામની છોકરી તરફ આકર્ષાયો. બેઝલ તો એનું લાડકું નામ હતું. એ મોત્સાર્ટના બુકબાઇન્ડર કાકાની છોકરી હતી; અને મહાફ્લર્ટ હતી. એનું આખું નામ હતું : મારિયા આના ઠેકલા મોત્સાર્ટ. મોત્સાર્ટે એને અત્યંત કઢંગા, ગંદા અને અશ્લીલ પત્રો લખ્યા. દાખલા તરીકે : ‘Oh you cock, lick my arse.’ મોત્સાર્ટે પિતાને કાગળમાં લખ્યું: “બેઝલ રૂપાળી અને હસમુખી છે; ચાલાક, ચબરાક ને હોશિયાર છે. અમે બંને ભેગાં મળીને બધાંની ઠઠ્ઠામશ્કરી કરીએ છીએ.” (17 એપ્રિલ, 1777) એ કારણે મોત્સાર્ટના ચાહકો અને અભ્યાસીઓ આજે પણ ભોંઠપ અનુભવે છે અને સ્તબ્ધ થઈ જાય છે. {{gap}}ઑગ્સ્બર્ગમાં 1777ની બાવીસમી ઓક્ટોબરે મોત્સાર્ટનો જલસો ગોઠવાયો. લિયોપોલ્ડે સાલ્ઝબર્ગથી પત્ર લખીને આપેલી સૂચના માથે ચડાવીને મોત્સાર્ટે આ પ્રસંગે ગોલ્ડન સ્પર ખિતાબનો સોનાનો ચંદ્રક છાતી પર લટકાવ્યો. પણ ઓગ્સ્બર્ગના મેયરના દીકરાએ એ ચંદ્રકની ઠેકડી ઉડાવતાં મોત્સાર્ટને ખૂબ લાગી આવ્યું. પછી માતાને લઈને મોત્સાર્ટ મ્યુનિખ પહોંચ્યો. પણ મ્યુનિખના રાજા ઈલેક્ટર મેક્સિમિલિયન ત્રીજાએ રૂબરૂ મળવા છતાં કોઈ દાદ આપી નહિ. પોતાના જૂના માલિક<noinclude></noinclude> 78947pfvnyo7doifpi7zxievu1tro7o 166137 166119 2022-07-20T16:24:22Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૩૩}} <hr></noinclude> જોડીને હું તારે પગે પડું છું કે આર્ચબિશપ અંગે તું કોઈ મજાકમશ્કરી કાગળમાં મને લખીશ નહિ, કારણ કે તારા કાગળ જો ભૂલેચૂકે ખોટા હાથમાં ચડી જશે તો આપણા માથે આસમાન તૂટી પડશે.” પણ મોત્સાર્ટ તો એકદમ મોજિલા મિજાજમાં હતો. એણે 1777ની 26 સપ્ટેમ્બરે પિતાને લખ્યું : “હું હંમેશની માફક એકદમ ખુશમિજાજ છું. સાલ્ઝબર્ગના કાવતરાખોરોથી મુક્ત થઈ મારું હૃદય તો જાણે પવનવેગે ઊડે છે !” લિયોપોલ્ડે સામો બીજો પત્ર લખ્યો : “તું માત્ર સંગીતમાં જ ગળાડૂબ રહે એ નહિ ચાલે. દુનિયાદારીનું ભાન તને હોવું જોઈએ.” મોત્સાર્ટની આ નવમી યાત્રા દોઢ વર્ષે પૂરી થઈ અને તે ‘ધ ગ્રાન્ડ ટૂર’ નામે જાણીતી બની. મ્યુનિખ, ઑગ્સ્બર્ગ અને મેન્હીમમાં થોડો થોડો સમય ગાળ્યો. ઑગ્સ્બર્ગમાં મોત્સાર્ટ બેઝલ નામની છોકરી તરફ આકર્ષાયો. બેઝલ તો એનું લાડકું નામ હતું. એ મોત્સાર્ટના બુકબાઇન્ડર કાકાની છોકરી હતી; અને મહાફ્‌લર્ટ હતી. એનું આખું નામ હતું : મારિયા આના ઠેકલા મોત્સાર્ટ. મોત્સાર્ટે એને અત્યંત કઢંગા, ગંદા અને અશ્લીલ પત્રો લખ્યા. દાખલા તરીકે : ‘Oh you cock, lick my arse.’ મોત્સાર્ટે પિતાને કાગળમાં લખ્યું: “બેઝલ રૂપાળી અને હસમુખી છે; ચાલાક, ચબરાક ને હોશિયાર છે. અમે બંને ભેગાં મળીને બધાંની ઠઠ્ઠામશ્કરી કરીએ છીએ.” (17 એપ્રિલ, 1777) એ કારણે મોત્સાર્ટના ચાહકો અને અભ્યાસીઓ આજે પણ ભોંઠપ અનુભવે છે અને સ્તબ્ધ થઈ જાય છે. {{gap}}ઑગ્સ્બર્ગમાં 1777ની બાવીસમી ઑક્ટોબરે મોત્સાર્ટનો જલસો ગોઠવાયો. લિયોપોલ્ડે સાલ્ઝબર્ગથી પત્ર લખીને આપેલી સૂચના માથે ચડાવીને મોત્સાર્ટે આ પ્રસંગે ગોલ્ડન સ્પર ખિતાબનો સોનાનો ચંદ્રક છાતી પર લટકાવ્યો. પણ ઑગ્સ્બર્ગના મેયરના દીકરાએ એ ચંદ્રકની ઠેકડી ઉડાવતાં મોત્સાર્ટને ખૂબ લાગી આવ્યું. પછી માતાને લઈને મોત્સાર્ટ મ્યુનિખ પહોંચ્યો. પણ મ્યુનિખના રાજા ઈલેક્ટર મેક્સિમિલિયન ત્રીજાએ રૂબરૂ મળવા છતાં કોઈ દાદ આપી નહિ. પોતાના જૂના માલિક<noinclude></noinclude> 36div2tum8gkg7v82xmznng6fyhbo14 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૪ 104 46822 166120 166096 2022-07-20T12:45:20Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૩૪||મોત્સાર્ટ અને બીથોવન}} <hr></noinclude> હિરોનિમસ કોલોરાડોને મોત્સાર્ટે નાખુશ કરેલા એ વાત ઊડતી ઊડતી અહીં આવેલી. જે નોકરને જૂના માલિક સાથે વાંકું પડ્યું હોય તેને બીજો કોઈ માલિક દાદ આપે નહિ તેવી રાજવી ઘરાણાની મર્યાદા મોત્સાર્ટને નડી. મેક્સિમિલિયન ત્રીજાએ ઈટાલી જઈ ત્યાં નસીબ અજમાવવાની સલાહ આપી. મ્યુનિખમાં લિયોપોલ્ડના મિત્ર ફ્રાન્ઝ જૉસેફ આલ્બર્ટે મોત્સાર્ટને યોગ્ય નોકરી મળે ત્યાં સુધી ભરણપોષણનાં ભથ્થાં આપવાની દરખાસ્ત કરી પણ તેથી તો ખુદ્દાર લિયોપોલ્ડનો અહમ્ ઘવાયો ! {{gap}}મેન્હીમમાં સત્તાધીશ કાર્લ થિયોડોર સંગીત, કલા અને વિજ્ઞાનનો આશ્રયદાતા હતો. પણ મોત્સાર્ટને એ પનાહ આપી શક્યો નહિ. પણ મેન્હીમના સંગીતકારોએ મોત્સાર્ટની પ્રતિભા પિછાણી. કંપોઝરો જોહાન ક્રિશ્ચિયન કેનેબીખ અને ઈગ્નેઝ હોલ્ઝ્‌પોર, વાંસળીવાદક જોહાન બૅપ્ટિસ્ટ વૅન્ડલિન્ગ, ઓબોવાદક ફ્રીડરિખ રૅમ, વાયોલિનિસ્ટ ક્રિશ્ચિયન ડેનર તથા ટેનર એન્ટોન રાફ — એ બધા જ મોત્સાર્ટના પાકા દોસ્ત બની ગયા. પણ દરબારી કપેલમઈસ્ટર એબી વૉગ્લર સાથે દુશ્મની વહોરી લીધી. પેલા દોસ્તો માટે મોત્સાર્ટે દરેકને અનુરૂપ સુંદર કૃતિઓ લખી આપી. '''પ્રથમ પ્રેમ અને માતાનું અવસાન''' {{gap}}પણ મેન્હીમમાં મોત્સાર્ટ પહેલી વાર પ્રેમમાં પડ્યો. એનું નામ હતું આલોઈસિયા વેબર. મેન્હીમ થિયેટરમાં બાસ ગાયક અને પ્રોમ્પ્ટરની નોકરી કરતો ફ્રિડોલીન વેબર નામનો બેતાળીસ વરસનો એક ગરીબ માણસ હતો. એને ચાર દીકરીઓ હતી : જૉસેફા, આલોઈસિયા, કૉન્સ્ટાન્ઝે અને સોફી. આલોઈસિયા એ વખતે સત્તર વરસની હતી; અને સોપ્રોનો ઑપેરા ગાયિકા – પ્રિમ ડોના – તરીકેની કારકિર્દીનો આરંભ કરી રહી હતી. એને માટે મોત્સાર્ટે કૉન્સર્ટ એરિયા લખ્યો – ‘પોપોલી દિ થેસાલિયા’. (આલોઈસાનો કાકાનો છોકરો કાર્લ મારિયા ફોન વેબર (1786-1826) આગળ જતાં મહાન<noinclude></noinclude> mhi4flmcfris76efy36qqryyeepp9qw 166138 166120 2022-07-20T16:28:14Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૩૪||મોત્સાર્ટ અને બીથોવન}} <hr></noinclude> હિરોનિમસ કોલોરાડોને મોત્સાર્ટે નાખુશ કરેલા એ વાત ઊડતી ઊડતી અહીં આવેલી. જે નોકરને જૂના માલિક સાથે વાંકું પડ્યું હોય તેને બીજો કોઈ માલિક દાદ આપે નહિ તેવી રાજવી ઘરાણાની મર્યાદા મોત્સાર્ટને નડી. મેક્સિમિલિયન ત્રીજાએ ઈટાલી જઈ ત્યાં નસીબ અજમાવવાની સલાહ આપી. મ્યુનિખમાં લિયોપોલ્ડના મિત્ર ફ્રાન્ઝ જૉસેફ આલ્બર્ટે મોત્સાર્ટને યોગ્ય નોકરી મળે ત્યાં સુધી ભરણપોષણનાં ભથ્થાં આપવાની દરખાસ્ત કરી પણ તેથી તો ખુદ્દાર લિયોપોલ્ડનો અહમ્ ઘવાયો ! {{gap}}મેન્હીમમાં સત્તાધીશ કાર્લ થિયોડોર સંગીત, કલા અને વિજ્ઞાનનો આશ્રયદાતા હતો. પણ મોત્સાર્ટને એ પનાહ આપી શક્યો નહિ. પણ મેન્હીમના સંગીતકારોએ મોત્સાર્ટની પ્રતિભા પિછાણી. કંપોઝરો જોહાન ક્રિશ્ચિયન કેનેબીખ અને ઈગ્નેઝ હોલ્ઝ્‌પોર, વાંસળીવાદક જોહાન બૅપ્ટિસ્ટ વૅન્ડલિન્ગ, ઓબોવાદક ફ્રીડરિખ રૅમ, વાયોલિનિસ્ટ ક્રિશ્ચિયન ડેનર તથા ટેનર એન્ટોન રાફ — એ બધા જ મોત્સાર્ટના પાકા દોસ્ત બની ગયા. પણ દરબારી કપેલમઈસ્ટર એબી વૉગ્લર સાથે દુશ્મની વહોરી લીધી. પેલા દોસ્તો માટે મોત્સાર્ટે દરેકને અનુરૂપ સુંદર કૃતિઓ લખી આપી. '''પ્રથમ પ્રેમ અને માતાનું અવસાન''' {{gap}}પણ મેન્હીમમાં મોત્સાર્ટ પહેલી વાર પ્રેમમાં પડ્યો. એનું નામ હતું આલોઈસિયા વેબર. મેન્હીમ થિયેટરમાં બાસ ગાયક અને પ્રોમ્પ્ટરની નોકરી કરતો ફ્રિડોલીન વેબર નામનો બેતાળીસ વરસનો એક ગરીબ માણસ હતો. એને ચાર દીકરીઓ હતી : જૉસેફા, આલોઇસિયા, કૉન્સ્ટાન્ઝે અને સોફી. આલોઇસિયા એ વખતે સત્તર વરસની હતી; અને સોપ્રોનો ઑપેરા ગાયિકા – પ્રિમ ડોના – તરીકેની કારકિર્દીનો આરંભ કરી રહી હતી. એને માટે મોત્સાર્ટે કૉન્સર્ટ એરિયા લખ્યો – ‘પોપોલી દિ થેસાલિયા’. (આલોઇસાનો કાકાનો છોકરો કાર્લ મારિયા ફોન વેબર (1786-1826) આગળ જતાં મહાન<noinclude></noinclude> n1foshp4jqdgx2y7fr5d2xxtujv1svg પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૫ 104 46823 166139 165956 2022-07-21T07:50:19Z મીરા પરમાર 2828 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="મીરા પરમાર" />{{સ-મ|મોત્સાર્ટ||૩૫}}</noinclude>________________ મોત્સર્ટ ૩૫ સંગીતકાર બનેલો.) મોત્સાર્ટ પ્રવાસ દરમ્યાન પિતાને સતત કાગળો લખતો રહેલો. પણ આ પરિસ્થિતિથી તો લિયોપોલ્ડ ખાસ્સી ચિંતામાં પડી ગયો. પુત્ર ધ્યેય ભૂલીને ભટકી ગયો હોય એવું એને લાગ્યું. સમય વેડફવો બંધ કરીને તરત જ પૅરિસ ચાલ્યા જવાનું ફરમાન કાઢ્યું. લિયોપોલ્ડે કાગળમાં મોત્સાર્ટને લખ્યું: “હું ઘરડો થઈ રહ્યો છું, અને ઘર ચલાવવા માટે મદદ કરવા માટે નૅનર્લ ટ્યૂશનો કરે છે. તું જેટલા દિવસ બહાર રહે તેટલો ખર્ચ વધતો જાય છે. તું તારી મમ્મીને લઈને સીધો ઘરે પાછો આવી જા.” આજ્ઞાંકિત પુત્રને પિતાના ફરમાનનું પાલન કરવા સિવાય છૂટકો નહોતો, એટલે એ મમ્મી સાથે ૧૭૭૮ના માર્ચની ત્રેવીસમીએ પૅરિસ આવી પહોંચ્યો. પૅરિસમાં કોઈ ઓપેરા લખવાની વરદી મળે તેવી મોત્સાર્ટની તમન્ના ફળી નહિ. તેણે નછૂટકે સંગીતનાં ટ્યૂશનો આપવાં શરૂ કર્યા જેથી રોજિંદા ખર્ચાને પહોંચી વળી શકાય. તેણે પિતાને લખ્યું : - જો શિષ્ય શીખવા માટે રસ અને રુચિ ધરાવતો હોય અને સાથે ટેલેન્ટ પણ ધરાવતો હોય તો જ મને શીખવતાં આનંદ થશે. પણ સંગીતની સાધારણ શક્તિ ધરાવતા શિષ્યને ઘરે ચોક્કસ સમયે જવાનું અથવા તેની રાહ જોતા બેસી રહેવાનું મને પાલવતું નથી; પછી ભલે ને ગમે તેટલા પૈસા મળતા હોય ! પ્રસન્ન થઈને ઈશ્વરે મને સંગીત-નિયોજનની વિપુલ અને અદ્દભુત શક્તિ બક્ષી છે તેને મારે શા માટે આ રીતે દફનાવી દેવી જોઈએ ? કોઈ પણ હિસાબે નહિ, જ. પૅરિસમાં એક કડવો પ્રસંગ બન્યો. ડચેસ દ ચાબોએ મોત્સાર્ટને પિયાનો વગાડવા આમંત્રણ આપ્યું; પણ અત્યંત ઠંડુંગાર તેનું સ્વાગત કર્યું. એક અત્યંત ઠંડા બર્ફીલા ઓરડામાં ક્યાંય સુધી મોત્સાર્ટને બેસાડી રાખીને મોત્સાર્ટને એક પિયાનો આપ્યો. પણ તે પિયાનો બગડેલો. સાવ ખરાબ હતો ! વળી, ઓરડામાં બેઠેલા શ્રોતાઓ ચાલું સંગીત એકચિત્તે સાંભળવાને બદલે સ્કેચિન્ગ કરતા રહ્યા !<noinclude></noinclude> eo2395oitoy121exr987kfpq0odp66u પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૬ 104 46824 166140 165957 2022-07-21T08:02:07Z મીરા પરમાર 2828 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="મીરા પરમાર" />{{સ-મ|૩૬||મોત્સાર્ટ અને બીથોવન}}</noinclude>________________ ૩૬ મોત્સાર્ટ અને બીથોવન અહીં માતા બીમાર પડી અને ત્રીજી જુલાઈએ મૃત્યુ પામી! તેને પેરિસના હોલી ઇનોસન્ટ્સ કબ્રસ્તાનમાં દફનાવી. માતાના મૃત્યુથી મોત્સાર્ટ ખળભળી ઊઠ્યો; એને ઊંડો આઘાત લાગ્યો. પણ સાથે સાથે માતાની ચોકીદારીમાંથી મોત્સાર્ટ છૂટો થયો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રોમાંથી માતાની કોઈ જ છબી ઊપસતી નથી, કોઈ જ વ્યક્તિત્વ ઊપસતું નથી. લિયોપોલ્ડને માતાના મૃત્યુની જાણ કરતા કાગળમાં મોત્સાર્ટે લખ્યું : શાંતિ અને સ્વસ્થતાથી મેં બધું સહન કરી લીધું છે. મમીની માંદગી ગંભીર બની ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરીને માત્ર બે જ ચીજ માંગી : તેના માટે આનંદપૂર્ણ મૃત્યુ તથા મારે માટે શક્તિ અને હિંમત. (જુલાઈ, 1778) લિયોપોલ્ડે પોતાનો રોષ કાગળમાં પુત્ર પર કાઢ્યો : | મારું કહેવું માનીને મેન્હીમથી મમ્મીને લઈને સીધો ઘેર પાછો આવ્યો હોત તો તારી મમ્મી અવસાન પામત નહિ.... તું પૅરિસ વધુ સારા સમયે જઈ શક્યો હોત અને મારી પત્ની બચી જાત. મેન્હીમમાં છૂટા પડતી વખતે આલોઇસિયા વેબરે મોત્સાર્ટને જાતે ભરેલાગૂંથેલા બે રૂમાલ આપ્યા અને ફ્રીડોલીને મોલિયેરના સમગ્ર સાહિત્યનો સંપુટ મોત્સાર્ટને આપ્યો. મોન્સ્ટાર્ટે આ સંપુટ આજીવન સાચવી રાખેલો. પૅરિસમાં નવું સંગીત સાંભળવાથી મોત્સાર્ટને ફાયદો થયો. ગ્લક અને પિચિનીના ઑપેરા સાંભળવા મળ્યા, પણ તરત નવું કામ મળ્યું નહિ. ઇટાલી અને મ્યુનિખમાં એને મળેલી પ્રતિષ્ઠાથી પેરિસ સાવ અજાણ હતું ! દૂર વર્સાઈમાં ઑર્ગનવાદકની નોકરી મળી પણ દુનિયાથી વિખૂટા થઈને એટલે દૂર જવાની એની ઇચ્છા નહોતી એટલે એ નોકરી ઠુકરાવી. ગ્લકનો ઓપેરા “ઍલ્ચીસ્ટ' મોત્સાર્ટને ખૂબ પસંદ<noinclude></noinclude> m0thaf5racn58wkbo87493ro4tgfwmv પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૧ 104 46841 166121 166024 2022-07-20T12:53:19Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|મોત્સાર્ટ||૫૧}}<hr></noinclude> કરેલાં. માત્ર સારું ગાઈ-વગાડી જાણનાર સંગીતકાર તરીકે નહિ, પણ એક સર્જનાત્મક કંપોઝર તરીકે મોત્સાર્ટને આપવામાં આવેલી આ પ્રથમ અંજલિ છે. પણ બદનસીબે મોત્સાર્ટના જીવનકાળ દરમિયાન મોત્સાર્ટને આપવામાં આવેલી આ છેલ્લી અને એકમાત્ર અંજલિ બની રહે છે. શિન્ક માટે આ ઉપરાંત વધુ માન એટલા માટે ઊપજે કે એણે 'ફિગારો', 'ડૉન જિયોવાની', 'કોસી ફાન તુત્તી' અને 'ઝુબેફ્લૉટ' જેવા મોત્સાર્ટના હવે પછી લખાનારા ઓપેરા જોયા વગર 'સેરાલિયો'ની ખરેખર કદર કરી. '''હાયડનની હૂંફ''' {{gap}}હાયડન અને મોત્સાર્ટની પહેલી મુલાકાત 1781માં થઈ. મોત્સાર્ટને જીવનના છેલ્લા દસકામાં પોતાનાથી ચોવીસ વરસ મોટા અને નિઃસંતાન હાયડન પાસેથી પિતા સમાન સ્નેહ, વહાલ અને હૂંફ સાંપડ્યાં. જેવા મળ્યા એવા જ એ બંને પરસ્પર નજીક આવી ગયા. આર્ચબિશપની નોકરી છોડી ફી લાન્સ ધોરણે પગભર થઈ રહેલા અને કૉન્સ્ટાન્ઝેના મામલે બાપ જોડે બાખડી પડેલા મોત્સાર્ટને હાયડનનો ટેકો મળેલો. એ નિયમિતપણે મોત્સાર્ટને ઘેર મળવા આવતો અને એની કૃતિઓમાં રસ લેતો. મોત્સાર્ટે છ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ લખી હાયડનને અર્પણ કર્યા; જે 'વિયેના ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. મોત્સાર્ટથી ચોવીસ વરસ મોટો હાયડન મોત્સાર્ટના મૃત્યુ પછી અઢાર વરસ જીવ્યો. મોત્સાર્ટના મૃત્યુ પછી મોત્સાર્ટના સંગીતના જલસા કરી એણે કૉન્સ્ટાઝેને માટે રોયલ્ટીની આવક ઊભી કરી તથા કૉન્સ્ટાન્ઝે અને મોન્સ્ટાર્ટનાં બે બાળકોને એણે સંગીતશિક્ષણ આપ્યું. '''પ્રથમ પુત્રનો જન્મ અને પિતા સાથે સમાધાન''' {{gap}}1783ની સત્તરમી જૂને કૉન્સ્ટાન્ઝે અને મોન્સ્ટાર્ટના પ્રથમ પુત્ર રેઇમુન્ડ લિયોપોલ્ડનો જન્મ થયો. પોતાના પિતાની યાદમાં મોત્સાર્ટે પિતાનું જ નામ આ પુત્રને આપેલું. અને આ પુત્રનો ગોડફાધર પણ<noinclude></noinclude> 0w8hknxx69g7f6ws0ndsgrcfa5pedfl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૦ 104 46877 166128 2022-07-20T15:52:18Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૮૦||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૮૦}}<hr></noinclude>૮૦ મોત્સાર્ટ અને બીથોવન વુલ્ફગૅન્ગ હિલ્ડેશીઝરે 1971માં મોત્સાર્ટની જીવનકથા લખી. તેના આધારે પીટર શેફરે 1979માં નાટક ‘એમેડિયસ' ભજવ્યું. એમાં મોત્સાર્ટનું બાળસહજ નિર્દોષ માનસ પ્રગટ થાય છે. એના પરથી મિલોસ ફોર્મેને 1984માં ફિલ્મ ‘એમેડિયસ' બનાવી, જેને પાંચ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા. એમાં મુખ્ય ત્રણ પાત્રો હતાં : એલિઝાબેથ બૅરિજ; મોત્સાર્ટ – ટૉમ હુલ્સ; કૉન્સ્ટાન્ઝે – સાલિયેરી – મુરે એબ્રાહમ. - Pleast feisant –<noinclude></noinclude> 4u9ox3sn8n2u5a3kvxcvyd03qtcf5ct પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૯ 104 46878 166129 2022-07-20T15:52:24Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ મોત્સાર્ટ ૭૯ મૃત્યુ અગાઉ કોઈ પાદરી સમક્ષ પોતાના મહાપાપનો એકરાર કર્યો. આ મહાપાપ તે મોત્સાર્ટના જીવનમાં પોતે ઓકેલું ઝેર. બનેલું એવું કે નૅનર્લ સોળ વરસની થઈ પછ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૭૯||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૭૯}}<hr></noinclude>મોત્સાર્ટ ૭૯ મૃત્યુ અગાઉ કોઈ પાદરી સમક્ષ પોતાના મહાપાપનો એકરાર કર્યો. આ મહાપાપ તે મોત્સાર્ટના જીવનમાં પોતે ઓકેલું ઝેર. બનેલું એવું કે નૅનર્લ સોળ વરસની થઈ પછી પિતા લિયોપોલ્ડે તેની જાહેર જલસાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધેલો; માત્ર મોત્સાર્ટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરેલું, પછી લિયોપોલ્ડ મૅનર્લને કોઈ પણ સંગીતપ્રવાસે લઈ ગયેલો નહિ. નૅનર્લે માત્ર સંગીતનાં ટ્યૂશનો વડે જ સંતોષ માનેલો. મહાન ભાઈને ચોમેર મળતી વાહવાહ અને નામનાની એને કદી અદેખાઈ આવેલી નહિ. લિયોપોલ્ડે ભલે નૅનર્લની મૌલિક સંગીત- રચનાઓમાં રસ લેવાનું બંધ કરેલું, પણ મોત્સાર્ટે એમાં રસ લેવાનો ચાલુ રાખેલો. નૅનર્લને તેના પતિથી પુત્ર જન્મેલો ખરો પણ તે બે મહિનામાં જ મરણ પામેલો. નૅનર્લનાં અંતિમ વર્ષોમાં તેની બીમારીને ધ્યાનમાં લઈને બ્રિટિશ સંગીતકારોએ નાણાકીય મદદ પણ મોકલેલી. મોત્સાર્ટના મૃત્યુ પછી બીજે જ વર્ષે નૅનર્લે કહેલું : સંગીત સિવાયના જીવનનાં તમામ પાસાંઓમાં મોત્સાર્ટ મોટા થયા પછી પણ વત્તેઓછે અંશે બાળક જ રહેલો. આ જ તેના જીવનનું એક નકારાત્મક પાસું ગણી શકાય. માતા, પિતા કે બીજા બુઝુર્ગની જરૂર તેને હરહંમેશ રહેતી જ. એને પૈસાની તો ગતાગમ જ નહોતી. આવે તે પહેલાં જ પૈસા તેના હાથમાંથી સરકી જતા. પિતાની ઇચ્છા વિરુદ્ધ તેણે એક એવી છોકરી સાથે લગ્ન કર્યું જે તેને લાયક નહોતી. ઓગણીસમી સદીના આરંભથી જ એક વિષય તરીકે મોત્સાર્ટે સાહિત્યકારો અને સંગીતકારોનું ધ્યાન ખેંચેલું. મહાન રોમેન્ટિક કવિ પુશ્કિને ‘મોત્સાર્ટ ઍન્ડ સાલિયેરી' નામનું રશિયન ભાષામાં પદ્યનાટક લખ્યું. મોત્સાર્ટને શક હતો કે પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરી ઈર્ષ્યાના આવેશમાં આવી જઈ પોતાને ઝેર પણ પિવડાવે. આ શક્યતા આ નાટકનો તથા રિસ્કી-કોર્સાકોવના એક ઑપેરાનો વિષય છે.<noinclude></noinclude> 6s7vifdm3igpnz304fqu6i56quhqdr7 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૮ 104 46879 166130 2022-07-20T15:52:32Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૭૮||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૭૮}}<hr></noinclude>મોત્સાર્ટ અને બીથોવન ૭૮ સાલ્ઝબર્ગમાં લિયોપોલ્ડની કબરમાં દફનાવ્યો. પાંત્રીસ વરસ પહેલાં મોત્સાર્ટને એણે લિયોપોલ્ડની કબરમાં શા માટે ન દફનાવ્યો ? મોત્સાર્ટનાં બચેલાં ત્રણ બાળકોમાંથી બાળપણ વળોટીને બે મોટાં થયાં. મોટો પુત્ર કાર્લ (સપ્ટેમ્બર 17, 1784 ડિસેમ્બર 31, 1858) થોડા વખત માટે સંગીતમાં ફાંફાં મારીને સરકારી નોકરીમાં સ્થિર થયો. એણે આખી જિંદગી ઇટાલીમાં ગુજારી અને મિલાનમાં મૃત્યુ પામ્યો. નાનો પુત્ર ફ્રાન્ઝ ઝેવર વુલ્ફગૅન્ગ (જુલાઈ 26, 1791 જુલાઈ 29, 1844) બુઝુર્ગ હાયડન હેઠળ તાલીમ લઈને સારો પિયાનોવાદક બન્યો. બંને આજીવન અપરિણીત રહ્યા અને નિઃસંતાન મૃત્યુ પામ્યા. બાળકોના ઉછેરની ચિંતા પણ મોત્સાર્ટે કરેલી. પુત્ર કાર્યની રેઢિયાળ સ્કૂલથી મોત્સાર્ટ થાક્યો હતો. એ સ્કૂલમાંથી તેને ઉઠાડી લઈ બીજી કોઈ સારી સ્કૂલમાં એને બેસાડવાની એની ઇચ્છા હતી. કટાક્ષમાં મોત્સાર્ટે કહેલું : “દુનિયાને સારા ખેડૂતો પૂરા પાડવાની ચિંતા જ એ સ્કૂલને છે.” - – – મોત્સાર્ટના મૃત્યુ પછી કૉન્સ્ટાન્ઝે પચાસ વરસ સુધી – 1842 સુધી જીવી; છતાં 1829 સુધી – મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસ સુધી – જીવેલી મોત્સાર્ટની બહેન નૅનર્લ સાથે એને કોઈ સંપર્ક નહોતો. એ બંને મળ્યાં પણ નહિ. કૉન્સ્ટાન્ઝેએ જીવનના અંતિમ વર્ષમાં કહેલું : “મારા બંને પતિઓમાંથી વધુ પ્રેમાળ કોણ એ નક્કી કરવું મારે માટે મુશ્કેલ છે. મારું ચાલે તો હું બંને સાથે રહેવા ચાહું.’ બ્રિટિશ સંગીતકારોએ મોત્સાર્ટના મૃત્યુ પછી મોત્સાર્ટના સંગીતનું ગાયનવાદનમંચન કરી રૉયલ્ટીની રકમો કૉન્સ્ટાન્ઝેને મોકલવા માંડી એ જોતાં એવું લાગે છે કે લંડનથી મળેલા આમંત્રણનો સ્વીકાર કરી મોત્સાર્ટે કોઈ પણ રીતે પૈસા ઉધાર લઈ લંડન પહોંચી જવા જેવું હતું. કદાચ બ્રિટનની સંગીતપ્રેમી પ્રજાએ મોત્સાર્ટને આટલા બધા ક્રૂર સંજોગોમાં મરવા દીધો હોત નહિ જ ! સાલિયેરીએ પોતાના<noinclude></noinclude> ew1r1ybd0nhllyrqbi7s8lnlly0sckk પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૭ 104 46880 166131 2022-07-20T15:52:37Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૭૭||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૭૭}}<hr></noinclude>મોત્સાર્ટ યુરોપભરમાં ધીમે ધીમે મોત્સાર્ટના સંગીતની ભજવણીઓ તથા સંશોધનો શરૂ થયાં. ક્લેરિનેટ વાદક સ્ટેડલરે મિત્ર મોત્સાર્ટે પોતાને માટે લખેલી ક્લેરિનેટ કૃતિઓના વાદનના જાહેર જલસા કરી એની કમાણી કૉન્સ્ટાને આપી. બીથોવને પણ એક વાર મોત્સાર્ટના થોડા પિયાનો કન્ચુર્ટોનો એક જલસો કરેલો, એ જલસાની રૉયલ્ટીની રકમ તેણે કૉન્સ્ટાન્ઝેને મોકલેલી. હવે એક ઉત્તમ ચૅલીસ્ટ અને સંગીતના રસિયા એવા લિપ્સિકના રાજા ફ્રીડરિખ વિલિયમ બીજાએ જાહેર કર્યું કે 1789માં મોત્સાર્ટ લિપ્સિક આવેલો ત્યારે તેણે લિપ્સિક ઑર્કેસ્ટ્રાના ડાયરેક્ટરની પદવી મોત્સાર્ટને આપવાની દરખાસ્ત કરેલી; પણ મોત્સાર્થે તે ઠુકરાવેલી. આવી દરખાસ્તનો ઉલ્લેખ મોત્સાર્ટે ક્યાંય પણ કર્યો નહિ હોવાથી તેની સત્યાસત્યતાની ખાતરી થઈ શકતી નથી. સાલ્ઝબર્ગમાં જ્યાં મોત્સાર્ટનો જન્મ થયેલો તે ગૅટ્રીડેંગાસે શેરીનું નવ નંબરનું મકાન મોત્સાર્ટ મ્યુઝિયમમાં ફેરવાયું. મોત્સાર્ટની જિંદગી ભલે ટૂંકી હતી, માત્ર પાંત્રીસ વરસની; પણ તેની કારકિર્દી ટૂંકી નહોતી, તે અઠ્ઠાવીસ વરસ લાંબી હતી ! 1797માં કૉન્સ્ટાન્ઝે વિયેના ખાતેના ડૅનિશ એલચી જ્યૉર્જ નિકોલસ નીસેનને મળેલી. એ બંને પ્રેમમાં પડ્યાં. એ વખતે નીસેન છત્રીસ વરસનો હતો. એની સાથે કૉન્સ્ટાન્ઝેએ લગ્ન વિના રહેવું શરૂ કરેલું, પણ 1809માં એ બંને કૉપનહેગનમાં પરણી ગયાં; અને ત્યાં જ એ બંને 1819 સુધી રહ્યાં. પણ એ વર્ષે નીસેન ત્યાંની નોકરીમાંથી નિવૃત્ત થતાં આ યુગલ 1820થી સાલ્ઝબર્ગ આવી સ્થિર થયું. 1826માં નીસેન અવસાન પામ્યો. સાલ્ઝબર્ગમાં એના જીવનનાં છેલ્લાં છ વરસ મોત્સાર્ટના જીવન અંગે સંશોધન કરવામાં વીતેલાં. એણે ભેગી કરેલી માહિતી એના અવસાન પછી બે વસે 1828માં મોત્સાર્ટની પ્રથમ જીવનકથા તરીકે પ્રગટ થઈ. કૉન્સ્ટાન્ઝેએ નીસેનને<noinclude></noinclude> 541ol2aupjubxg5oyxg7dxp8kkf88bn પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૬ 104 46881 166132 2022-07-20T15:52:42Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૭૬||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૭૬}}<hr></noinclude>૭૬ મોત્સાર્ટ અને બીથોવન ખૂંદતા ખૂંદતા પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરી, શિષ્ય સુસ્માય૨, શીકેનેડ૨, જૉસેફાનો પતિ હોફર અને સ્વીટન મોત્સાર્ટના મૃતદેહને બે કલાકે સેંટ સ્ટીફન કથીડ્રલ લઈ ગયા. મૃતાત્માની શાંતિ માટે ટૂંકી પ્રાર્થના ફટાફટ પતાવીને પછી બીજો અડધો કલાક ફરી એનો બોજો ઊંચકીને ગરીબો માટેના સેંટ માર્ક્સ કબ્રસ્તાનમાં એક સામૂહિક ખાડામાં પધરાવી આવ્યા ! કૉન્સ્ટાન્ઝે ઘેર જ રહેલી, એ થાકેલી બિચારી આ બરફની ભયંકર આંધીમાં આવી શકેલી નહિ. (એ પછી સત્તર વરસે એણે 1808માં મૃત પતિનું કૉફિન શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરેલો; એ આજે પણ શોધી શકાય એમ નથી.) એના શોકમાં ચર્ચમાં સમૂહપ્રાર્થના યોજવાનું વિયેનાવાસીઓને સૂઝ્યું નહિ. પણ એની ચાહક અને એની પાછળ પાગલ નગરી પ્રાહાના નગરજનોએ એ પ્રાર્થના યોજી. એમાં મોત્સાર્ટની ફૅન ડુશેકે ગાયું અને એ રડી પણ ખરી. Then મૃત્યુ પશ્ચાત્ મૃત્યુ વખતે મોત્સાર્ટ વિયેના દરબારનો પગારદાર નોકરિયાત હતો. એના વાર્ષિક 800 ગલ્ડનના પગારમાંથી એક તૃતિયાંશ 2663 ગલ્ડનની રકમ કોર્ટે કૉન્સ્ટાન્ઝેને વાર્ષિક પેન્શન તરીકે ચૂકવવા દરબારને હુકમ કર્યો. આ રકમમાંથી અને મોત્સાર્ટના સંગીતની રૉયલ્ટીમાંથી એ પોતાનો અને પોતાનાં બે બાળકોનો સુખરૂપ ગુજારો કરી શકી. 1790થી એની પોતાની માલિકીનું મકાન પણ એની પાસે હતું. (એ પિયરમાંથી ભેટ મળેલું.) ધીમે ધીમે પ્રકાશકો મોત્સાર્ટની કૃતિઓ પ્રગટ કરવા માટે માગણી કરવા માંડ્યા. યુરોપભરમાં મોત્સાર્ટ માટે આદર અને પ્રશસ્તિ પ્રગટ થવા શરૂ થયાં તથા 1799માં પ્રકાશક આન્દ્રેએ મોત્સાર્ટની અપ્રકટ કૃતિઓના પ્રકાશન માટે કૉન્સ્ટાન્ઝેને 16,000 ગલ્ડન ચૂકવ્યા; છેક ત્યારે એને થોડી આછીપાતળી ઝાંખી થઈ કે એ કોઈ મહાન અને ભવ્ય માણસને પરણેલી ! હવે જ<noinclude></noinclude> 7b8uk8pto6hmilzb2kphv5ke46645fl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૫ 104 46882 166133 2022-07-20T15:52:47Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૭૫||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૭૫}}<hr></noinclude>મોત્સાર્ટ ૭૫ ચર્ચમાંથી પાદરીઓને બોલાવ્યા. પણ મોત્સાર્ટે ફ્રીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો હોવાથી પાદરીઓ આવ્યા જ નહિ. મધરાતે ધગધગતા કપાળ પર કૉન્સ્ટાન્ઝેએ બરફ મૂક્યો ને તરત જ મોત્સાર્ટ કોમામાં સરી ગયો. તરત મોત્સાર્ટના ડૉક્ટર કૉસેફને બોલાવ્યો. એ થિયેટરમાં ‘ઝુબેરફૂલોટ’ જોવા ગયેલો, ત્યાંથી એને પકડ્યો. પણ એ આવ્યો ત્યાં સુધીમાં તો ખેલ ખલાસ થઈ ગયો. લોહીમાં યૂરિયા જમા થવાનું કારણ મૃત્યુ માટે જવાબદાર હતું. એની કિડનીઓ ખલાસ થઈ ગયેલી. એનો રોગ હતો યુરેમિયા. મોત્સાર્ટના મૃત્યુ પછી સાળી સોફીએ નોંધેલું : “મોત્સાટે કરેલું છેલ્લું કામ તે રિક્વિયમ માસમાં ઢોલ- (ટિમ્પની)ની ગોઠવણી માટેના મૌખિક અવાજો.’ મૃત્યુ 1791ના ડિસેમ્બરની પાંચમી તારીખે પરોઢે એક વાગ્યે મોત્સાર્ટનું મૃત્યુ થયેલું. એ વખતે એની પથારીની બાજુમાં જ કૉન્સ્ટાન્ઝે, સાઢુ હોર, સાળી સોફી અને શિષ્યો શેક અને સૂસ્માયર બેઠેલાં. મીણની આકૃતિઓની ગૅલરીના માલિકને બોલાવ્યો. એણે મોત્સાર્ટના ચહેરાનું મોલ્ડ-બીબું લીધું; પણ એ જળવાયું નથી. કારણ કે થોડા સમય પછી આવેશમાં આવી જઈ કૉન્સ્ટાન્ઝેએ તે તોડી નાખેલું. તરત જ સમગ્ર વિયેનામાં મોત્સાર્ટના મૃત્યુના ખબર પ્રસરી ગયા. મોત્સાર્ટનો ડચ મિત્ર બેરોન તરત જ આવ્યો. એણે અંતિમ સંસ્કારવિધિ પાછળ ઓછામાં ઓછો ખર્ચ કરવાની કૉન્સ્ટાન્ઝેને સૂચના આપીને વિદાય લીધી. બે દિવસથી કાતિલ ઠંડી પડી જ રહી હતી. પણ હવે સુસવાટાભર્યા પવન સાથે જોરદાર બરફ વરસવો શરૂ થયો, જે કેમે કર્યો અટક્યો જ નહિ. એના અટકવાની બે દિવસ સુધી રાહ જોઈ જોઈને થાક્યા પછી આખરે એક સાદું કૉફિન ખરીદી મંગાવી છઠ્ઠીએ બપોરે ખભે કૉફિન ઊંચકીને વરસતા બરફ અને પવનની જોરદાર આંધીમાં સાડા ત્રણ ફૂટ ઊંચો બરફ<noinclude></noinclude> iyd2kjgytuso2nizcue5vzx10w36org સભ્યની ચર્ચા:Dnm1947 3 46883 166136 2022-07-20T16:21:54Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dnm1947}} -- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૨૧:૫૧, ૨૦ જુલાઇ ૨૦૨૨ (IST) 8y913ng3s6865a6zfielwykun5vr35g